ગુરુવાર, 1 એપ્રિલ, 2010

ઝવેરચંદ મેઘાણી એટલે......

ઝવેરચંદ મેઘાણી એટલે કવિ, પત્રકાર, નવલિક, સંશોધક, લોક-સાહિત્યકાર, અને આઝાદી ના લડવૈયા પણ,

ગાંધીજી એ મેઘાણી ને "રાષ્ટ્રીય શાયર" નું બિરુદ આપેલુએમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ ને મહીડા. પરીતોસીહ્ક મળ્યો . એ મેઘાણી નો જન્મ ૨૮, ઔગસ્ત, ૧૮૮૬ માં ચોટીલા માં થયેલ.

મેઘાણી એ ગુજરાત માં કવિતા, પત્રકારત્વ, વાર્તા, નવલકથા ક્ષેત્રે એક નવી ભાત પાડી.

લોકો ની પાસે થી વાર્તા રૂપે, દંતકથા રૂપે પડેલા સાહિત્ય ને મેઘાણી એ સૌરાષ્ટ્ર ના ખૂણે ખૂણે થી ભાટ, ચારણ, બારોટ અને ઘરડા બુઢ્ઢા પાસે થી સાંભળી ને પોતાની આગવી શૈલી માં ઢાળી ને ગુજરાતી સાહિત્ય ને સમ્રુધ કર્યું. મેં ક્યાંક વાંચેલું કે એકવાર મેઘાણી ને કોઈકે કહ્યું કે કત્છ માં એક ડોસીમાં સૌરાષ્ટ્ર ની એક લોક વાર્તા જાણે છે અને ઝવેરચંદ મેઘાણી ધોધમાર વરસાદ માં એજ ઘડી કત્છ જવા નીકળી ગયેલા.

મેઘાણી કાઠીયાવાડ ના ગામે ગામે, ચોકે ચોકે , પાદરે પાદરે જઈને અસલ કાઠીયાવાડ ને જગત સામે રજુ કર્યું, લોક સાહિત્ય માં સંપાદન અને સંસોધન ને એમને જગત સામે રજુ કર્યું.

મફત રણેકરે sachhu જ કીધું છે કે એક સંસ્થા કરે એટલું કામ મેઘાણી એ એકલે હાથેકરેલું.
અને ઈન્દુકુમાર જાની ના શબ્દો માં કહીએ તોએમણે કબરો ખોદી કાઢી ને મૈઅતો ને ઉઠાડીયા અને જીવાડ્યા એમને મસાણે મસાણ જગાડ્યા. કાળી રાતે મસાણ માં સાદ પાડ્યા. મુદડા ને હોકર દીધા. હઝારો પ્રેતો ને એમને કપડા પહેરાવ્યા. એ પ્રેત નથી , નીચા નથી, લુચ્ચા ને હરામખોર નથી એમ સાબિત કરી ને જગત ના ચોક માં ઉભા રાખ્યા. માણસો એ કબુલ કર્યું કે - હા એ સચ્ચા માણસ છે. ચીર નિંદ્રા માં પોઢેલા પાળિયાઓને જગાડી ને એમને બોલતા કાર્ય.

મેઘાણી મૂળ બગસરા ગામ ના હતા. એમના પિતા કાલિદાસ અ પોલીસ હતા એમને પોસ્ટીંગ નાં કારણે જુદા જુદા ગામે ફરવું પડતું. મેઘાણી એ શિક્ષણ રાજકોટ માં લીધું. ૧૧૧૨- માં અમને મેત્રિક પાસ ર્યું.

૧૧૧૬ માં ઈંગ્લીશ અને સસ્ક્રુંત માં સ્નાતક થયા.
૧૯૧૭ માં જીવનલાલ લી. નામ ની એલ્લુમિનિઅમ ની .માં નોકરી એ લાગેલા.
૧૯૨૧ માં નોકરી છોડી ને પાછા બગસરા આવી ગયા.
૧૯૨૨ માં ૨૫ વર્ષ ની ઉમરે જેતપુર માં દમયંતીબેન સાથે લગ્ન કર્યા.
મેઘાણી ને ગુજરાતી સાહિત્ય નો ચસકો તો નાનપણ થીજ હતો અને કલકત્તા ગયા ત્યાં બંગાળી સાહિત્ય ના પ્રેમ માં પડ્યા. અને એના જ ફળ સ્વરૂપે આપણને "કુરબાની ની કથા" મળી. એ પુસ્તક રવીન્દ્રનાથ ટાગોર ની કથા-ઉ-કહાની નો ગુજરાતી અનુવાદ હતો જે એમને ૧૯૨૨ કર્યો હતો. અને એજ એમની સૌપ્રથમ પુસ્તકહતા


મેઘાણી એ સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, અને સૌરાષ્ટ્ર ની રસધાર લખી એમાં સૌરાષ્ટ્ર ની રસધાર ના ૫ ભાગ, સોરઠી બહારવટિયા ના ૩ ભાગ આવી ગયા. એ વાર્તા એમને કઈ એક જગ્યા એ થી નથી મળી ગયી, એક એક વાર્તા માટે એ કઈ કેટલાય વ્યક્તિ ને મળેલા. ક્યાંક અધુરી વાર્તા મળતી, ક્યાંક વાર્તા ની સરુયત મળતી, બીજે થી થોડીક વધરે વાત મળતી, વળી ત્રીજે થી વાત નો અંત મળતો. મેઘાણી એ કટકા ને ભેગા કરતા, સાંધતા, અને સચ્ચી રીતે ગોઠવાતા. અને પછી પોતાની આગવી શૈલી માં ઢળતા.

મેઘાણી એ સૌરાષ્ટ્ર નામ ના એક સામયિક માં લખવા નું સારું કર્યું એ રાણપુર થી પ્રસિદ્ધ થતું હતું. , ૧૯૨૬ માં એમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ "વેણી ના ફૂલ" રજુ કર્યો. ૧૯૨૮ માં જ્હાવેરચંદ મેઘાણી ને રણજીત રામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ આપો ત્યારે એમની ઉમર ૩૧ વર્ષ ની હતી. એ સમયે અવાર્ડ ખરા અર્થ માં પ્રોત્શાહન માટે અપાતા હતા હવે તો કોઈ લેખક જીંદગી ને છેલ્લા સ્તાગે પહોચે ત્યારે સેક વિચારાય છે. ધણીવાર લેખક કએ કવિ ના કારણે અવાર્ડ ની કિંમત વધી જતી હોય એવું પણ લગએ છે.

૧૯૩૦ માં મેઘાણી એ સિંધુડો લખ્યું એ યુવાનો ને આઝાદી માટે લડવા જોમ પુરતા કાવ્યો થી ભરેલું હતું. એના માટે એમને એજ વર્ષે ૨ વર્ષ જીલ ની સજા થય હતી.

૧૯૩૩ માં એમના પત્ની ગુજરી ગયા, ૧૯૩૪ માં મેઘાણી મુંબઈ ગયા ત્યાં એમને છીત્રદેવી શાથે બીજા લગ્ન કર્યા. પછી જન્મભૂમી માં "કલમ અને કિતાબ " કોલમ લખવા નું શરુ કર્યું.

૧૯૩૬ માં ફૂલછાબ ના તંત્રી બન્યા. ૧૯૪૬ માં એમના પુસ્તક માણસાઈ ના દીવા ને મહીડા પરીતોસિક મળ્યું. ને આજ વર્ષે એ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગ ના વાળા તરીકે ચુંટાયા.

અને ૯ માર્ચ, ૧૯૪૭ માં આઝાદી જોયા વગર જ ૫૦ વર્ષ ની ઉમરે મેઘાણી એ આ દુનિયા ની વિદાય લીધી.