tag:blogger.com,1999:blog-64345581599655473852024-03-08T10:19:59.205-08:00મને ગમતા ગુજરાતીhiren makwanahttp://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6434558159965547385.post-89902440859026231312011-11-27T09:08:00.000-08:002011-11-27T09:08:54.095-08:00ત્રણ અક્ષરમાં માપી લીઘું વિશ્વને ‘રમેશ’ પૂછો કે એનું નામ હતું : ‘વેદના’, તો હા!From:- http://planetjv.wordpress.com<br />
(Blog of Jay vasavada)<br />
writer : Jay vasavada<br />
Date 27/11/2011<br />
Time 10:36 PM<br />
<br />
સમજયા, ચંદુભાઇ!<br />
<br />
એને ટેવ નડી, ટેવ…<br />
<br />
ખોતરવાની.<br />
<br />
આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,<br />
<br />
કાંઇ ખોતરવે ચડયો…<br />
<br />
છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું<br />
<br />
મોટા મોટા ખાડા કર્યા ઇમાં<br />
<br />
મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ<br />
<br />
જોવું’તું નજરોનજર<br />
<br />
પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ<br />
<br />
ઇ અડબાઉને એમ કે<br />
<br />
ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય<br />
<br />
સુખના ઝાડવા ફિલમુમાં ઉગે<br />
<br />
સુખના ફુવારા કવિતામાં ઉડે<br />
<br />
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા<br />
<br />
તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!<br />
<br />
દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…<br />
<br />
એને એમ કે સોમવાર કે રવિવાર હોય<br />
<br />
એમ સુખ પણ હોય જ!<br />
<br />
ટપુભાઇને તરવેણીબેનની જેમ<br />
<br />
સુખે ય આપડે ત્યાં આવે…<br />
<br />
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?<br />
<br />
આપણે તો જાણીએ, ચંદુભાઇ કે<br />
<br />
સસલાને શિંગડા હોય તો<br />
<br />
માણસને સુખ હોય.<br />
<br />
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ<br />
<br />
ચોપડિયું વાંચીએ<br />
<br />
જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં<br />
<br />
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?<br />
<br />
છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?<br />
<br />
એક દિવસ ખુસાલિયો<br />
<br />
પોતાના સપનાંને અડ્યો’તો!<br />
<br />
ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!<br />
<br />
પણ હાળો મરસે !<br />
<br />
સુખ નથી આઠે બ્રહ્માંડમાં<br />
<br />
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર<br />
<br />
આવી વાત ઇ જાણતો નથી<br />
<br />
ઇ જ એનું સુખ!<br />
રમેશ પારેખની આ લાંબી કવિતાનું ‘એડિટેડ વર્ઝન’ છે… એમની જીંદગી જેવું! છ અક્ષરના નામના આ ધણી આ વર્ષે મોટા ગામતરે ચાલ્યા ગયા, ત્યારની ગુજરાતી કવિતા વિધવા બની છે. આવતીકાલ, તારીખ ૨૭ નવેમ્બરે કવિનો જન્મદિન છે. એમના શરીર અને એમના શબ્દોની સ્મૃતિઓ મનની ‘માલીપા’ ધક્કામુક્કી કરીને ‘હડિયાપાટી’ કરે ત્યારે એમનો મૃત્યુદિન યાદ આવે… એ સાંજે મોરારિબાપુએ એક બહુ ઝીણું કાંતીને પારખેલી વાત કહી હતી… રમેશ પારેખને સતત, સનાતન એક અજંપો સતાવતો હતો! એ રાત્રે રાજકોટના સ્મશાનમાં પ્રજ્વલિત ચિતા સામે જોતાં થયું… શું દેહ સાથે આત્માનો અજંપો પણ ભડભડ બળતો હશે?<br />
<br />
આમ તો રમેશ પારેખે ગામો ગજવ્યા હતાં. મહેફિલની શાન અને મસ્તીની જાન થઇ જાય એવો એ માણસ. જીવનના અસ્તાચળે ખાધેપીધે પણ સુખી. ખુલ્લી તલવાર જેવી છોકરી અને સિટ્ટીના હીંચકે ઝૂલતા છોકરાની કાઠિયાવાડી કવિતાના ટ્રેન્ડસેટર કવિસમ્રાટ. આલા ખાચરની કવિતાના જાણતલ સર્જક. રમૂજી કટાક્ષથી મુશાયરાને ડોલાવે, અને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે દીધેલું ફૂલ યાદ કરીને રોમાન્સની ગુલાબી મહેંક પણ પ્રસરાવે! પરિવાર પ્યારો, મિત્રોનો સંગાથ ન્યારો… નામ થયું, ઠરીઠામ થયા… અઢળક યુવક મહોત્સવોમાં નવા નિશાળિયાઓએ એમની કવિતાની પાદપૂર્તિ કરી… સરટોચના તમામ સન્માનો મળ્યા… લોકોના હૃદયમાં, ટીવી ચેનલના કેમેરામાં, સરકારી યાદીમાં, અખબારી કાગળમાં, માંધાતાઓની મિજબાનીમાં બધે જ માનભર્યું સ્થાન મળ્યું. સંસારની જવાબદારી ત્રીજી પેઢીને ખોળે રમાડતાં સુપેરે નિભાવી. ગાલિબની માફક રમેશ પારેખની છે, એવી ખબર ન હોય છતાં સામાન્ય માનવીના જીભે એમની પંકિતઓ રમતી હોય એવું અમરત્વ મળ્યું.<br />
<br />
રમેશ પારેખને કશુંક છાનુંછપનું પણ કદાચ છિન્નભિન્ન એક સપનું હતું… એને કશુંક અસુખ હતું. કયાંક આ ભડભાદર માણસને ચેન નહોતું પડતું. બધી અમીરાતની વચ્ચોવચ્ચ શૂન્યના આકારનો એક ઉણપ નામનો અંધારિયો કૂવો હતો! આવું એમણે જાહેરમાં નથી કહ્યું, પણ સર્જકના શબ્દો કયારેક એના અંતરમનની ચાડી ખાય છે….<br />
<br />
અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહંિ, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…<br />
<br />
વિશ્વનું એક્કે ન પુસ્તક દઇ શકયું એનો જવાબ<br />
<br />
શું છે આ છાતીને ખોદી કાઢતી ઝીણી કણસ<br />
<br />
*<br />
<br />
કેમ તું મૂંગી છે તદ્દન, બોલપેન!<br />
<br />
તારૂં કોણે દુભવ્યું મન, બોલપેન!<br />
<br />
*<br />
<br />
બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને<br />
<br />
કોઇ વિલંબ કે કોઇ સબર કબૂલ નથી<br />
<br />
*<br />
<br />
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે<br />
<br />
મને કંઇ તો જોયાનું સુખ આપો…<br />
<br />
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય<br />
<br />
મને કંઇ તો રોયાનું સુખ આપો…<br />
<br />
*<br />
<br />
લોહી તોડી શબ્દને દર્પણ કર્યા<br />
<br />
- ને તને અર્પણ કર્યા!<br />
<br />
*<br />
<br />
હથેળી બહુ વ્હેમવાળી જગા છે<br />
<br />
અહીં સ્પર્શ ઘસતા એ પ્રેતો થયા છે<br />
<br />
હવે પાંપણોમાં અદાલત ભરાશે,<br />
<br />
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે<br />
<br />
*<br />
<br />
જેટલી દંતકથાઓ બની અરીસાની<br />
<br />
છે ઝીણી ઝીણી કરચ એ તો કોઇ કિસ્સાની<br />
<br />
*<br />
<br />
વીતેલી કાલનું જો નામ ખુશખુશાલ નથી<br />
<br />
તો દોસ્ત, આજ હું સ્હેજે પાયમાલ નથી<br />
<br />
<br />
<br />
મને બગીચો કહ્યો’તો એ તારી ભૂલ હતી<br />
<br />
કોઇ લીલોતરી વિશે મને ખયાલ નથી<br />
<br />
*<br />
<br />
ઘટનાને હોત ભૂલી શકવાના બારણા<br />
<br />
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને?<br />
<br />
*<br />
<br />
ચકવી, ચાલો જઇએ એવા દેશ…<br />
<br />
પ્હેરવો પડે છે અહીં તો આ કે પેલો<br />
<br />
એકબીજાને ચાહવાનો કોઇ વેશ<br />
<br />
*<br />
<br />
તું ચહેરો ઉગામીને ઉભી રહી<br />
<br />
એટલે હોઠમાં વાત થંભી ગઇ<br />
<br />
*<br />
<br />
અક્ષરો પાડું, ધકેલું, ચીતરૂ, ધૂંટુ, ભૂંસું<br />
<br />
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત<br />
<br />
*<br />
<br />
શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે<br />
<br />
બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે<br />
<br />
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ<br />
<br />
સમૂળગું જ હવે મનને મારવું પડશે<br />
<br />
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો<br />
<br />
દીઘું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે.<br />
રમેશ પારેખની આંખોમાં એ કયું આંસુ આજીવન થીજી ગયું હશે? એ કયા કિસ્સાની કરચ એમના પ્રતિબિંબને તરડાવતી હશે? કયા ટકોરાની પ્રતીક્ષામાં એમની મૂંગી બોલપેન કાગળને ‘બચબચ ધાવતી’ હશે? કયું સ્વપ્ન એમને ભૂલી જવાનું નિરંતર યાદ આવતું હશે? કઇ છાતીની કણસે કવિનો દેહ હાર્ટ એટેકથી ‘આફટર સિકસ્ટી’ પડ્યો, એ પહેલાં જ હાર્ટ પર એટેક કરીને ‘સ્વીટ સિકસ્ટીન’માં એમનો આત્મા દઝાડ્યો હશે? કેટલાક સવાલો એવા હોય છે કે એના જવાબ આપવાની લાખ ઇચ્છા હોય તો પણ એ ઢબૂરીને મૌનના સોયદોરાથી હોઠ સીવી લેવા પડે છે.<br />
<br />
રમેશ પારેખે હરહંમેશ નિયતિની, સંજોગોના શિકાર બનેલા ઉછળતા હરણા જેવા સ્વપ્નોની વાત લખી છે. ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે’થી પ્રચલિત કવિ એક ખૂણે ગૂપચૂપ એવું ય લખીને ગુમસુમ છે…<br />
<br />
મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું<br />
<br />
બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું?<br />
<br />
પડયું છે કોઈનું મડદું પણે ગુલમ્હોર તળે<br />
<br />
વચન દીધેલ હશે કોઈએ ત્યાં મળવાનું?<br />
<br />
માણસ ધાર્યું કરવા માટે હવામાં બાચકા ભરે છે. જીવસટોસટની બાજી રમે છે. દોડે છે. પડે છે. ચડે છે. રડે છે. ઝંખે છે. ડંખે છે. એને એવો ભ્રમ હોય છે કે, આ તો હાથવેંતમાં આવેલું સ્મિત છે. પણ જગતની ગમે તેટલી જીત મળે, પ્રીત ન મળે ત્યારે એને ખબર પડે કે, કુદરતના દરિયામાં એ એક પરપોટો છે.<br />
<br />
<br />
<br />
હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,<br />
<br />
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.<br />
<br />
<br />
<br />
અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને<br />
<br />
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.<br />
<br />
<br />
<br />
એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી<br />
<br />
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.<br />
<br />
રમેશ પારેખે ગર્વથી ‘મારી કવિતા વિશ્વના હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે’ એમ ઉચ્ચાર્યું છે… અને કવિએ લોકોને રિઝવવા માટે કરવા પડતાં નખરાંનું મૂલ્ય સ્વીકાર્યું છે. દુનિયાને હસવા જેવી બે – ચાર પળો આપી, એમના મનમાંથી આવતીકાલનો ભય કાઢવાનું અવતારકાર્ય સર્જકનું છે, એવું કહી મન મનાવ્યું છે. એમણે કાલિદાસને પણ મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. શયનખંડની શહેનશાહત અને સ્તનોની સુંવાળપ, ભીડની ભયાનકતા અને મીરાના મનસૂબા પણ શણગાર્યા છે. પણ ફાંસી પહેલાની છેલ્લી ઈચ્છાના નામે લખેલી આ રચનામાં સર્જકના સપના નથી? વાંચો ઃ<br />
<br />
- ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે<br />
<br />
વડની ખાલીખમ છાયાને<br />
<br />
ટગરટગર વળગી પડી રોઈ લેવું છે<br />
<br />
એકલભૂલું બકરી બચ્ચું ઊંચકીને<br />
<br />
પસવારવી છાતી<br />
<br />
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી<br />
<br />
છાનું છપનું ન્હાતી<br />
<br />
થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધ ઝરી પડતું જોવું<br />
<br />
મારગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લીવાર વછોવું<br />
<br />
સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે<br />
<br />
<br />
<br />
આવું જ એક અવર્ણનીય શબ્દચિત્રના વર્ણનનું ચમત્કારિક કામ રમેશ પારેખની ‘ઈચ્છા’ નામની કવિતામાં છે. આખી કવિતામાં રંગબેરંગી વાસંતી કામનાઓના લસરકા છે, પણ દીર્ઘ કાવ્યની પૂંછડીએ વીંછીડંખ છે. કવિ લખે છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે ને… પછી ફેરવી તોળે છે. ‘ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાય… ને હું મૃત્યુ પામું!’<br />
<br />
વાત નક્કી છે. રમેશ પારેખના ગળે મરણપર્યંત બાઝેલો ડૂમો એક મોગરાની કળી છે. ટહૂકાની જાળી છે.યાને એક સ્ત્રી છે. કવિતામાં છોકરો છોકરી પાસે કાંટો કઢાવવા જાય છે, ત્યારે સોયને બદલે અણિયાળી આંખોથી એ કાઢવા કાકલૂદી કરે છે. ગામ સમજી જાય છે – કાંટો નહિ, આયત્મો કઢાવવાની વાત છે! કવિએ પોતાના આત્માના સોનેરી પંિજરાને નામ આપી દીઘું : સોનલ! નામ આપીને કદાચ નામ છૂપાવ્યું! અને આ દરેક પુરૂષના લલાટમાં લખાયેલી, છાતીના વાળમાં પસીનો બનીને બાઝેલી અને મૂલાધાર ચક્રમાં સહસ્ત્રદલ કમલ બનીને ખીલેલી નાયિકાનું રૂપ છે. રમેશ પારેખે વાસ્તવમાંથી વાયકા બની ગયેલી સ્વપ્નિલ પ્રિયા સોનલ માટેનો તલસાટ અને થનગનાટ કેવો ઉપસાવ્યો છે?<br />
<br />
તું આવી તો ઘરના ખૂણા પ્હોળા પ્હોળા<br />
<br />
પહેલીવાર હું મારાથી અળગો પડી<br />
<br />
કરતો મારી ખોળંખોળ<br />
<br />
*<br />
<br />
તમે ઘેર આવ્યા ને, સોનલ<br />
<br />
ફળિયે બેઠેલા પથ્થરના પંખીને<br />
<br />
નીલું પિચ્છ અચાનક ફૂટે<br />
<br />
પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે<br />
<br />
*<br />
<br />
એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ…<br />
<br />
એક વકત આ હું ને મારી આંખ ગ્યાં‘તા દરિયે<br />
<br />
ત્યારે કોઈ પગલું પડી ગયું હતું ઓસરીએ<br />
<br />
ઘેર આવતા ઘરના મોં પર તાજગી ભાળી<br />
<br />
અડપલું બોલી ઉઠયું : જડી ગયું, દે તાળી<br />
<br />
પગલાં ઉપર અમે ચડાવ્યા પાંપણના બે ફૂલ<br />
<br />
ટીપે ટીપે સપના સુધી બાંઘ્યો ભીનો પુલ<br />
<br />
ઘર આખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ<br />
<br />
ઓસરીએ અફળાતો દરિયો કલબલ કલબલ<br />
<br />
*<br />
<br />
સાંજ – અંગત એક ચિઠ્ઠી… પ્રિયતમાની,<br />
<br />
પત્ર મારો – ફકત નિઃશ્વાસોનો ઢગલો<br />
<br />
ભૂકંપોના વિચારોનો જ<br />
<br />
સિસ્મોગ્રાફ અધકચરો<br />
<br />
અને ચિઠ્ઠી -<br />
<br />
તરન્નુમ જેટલી મીઠ્ઠી!<br />
<br />
રમેશ પારેખની એક કવિતા ‘છેલ્લો પ્રેમપત્ર’ છે. પ્રિયતમ પ્રિયાને પત્ર લખીને પોતાને જલદી પત્ર લખવા વિનવે છે! (એસએમએસના જવાબમાં ‘મિસ’ને મિસ્ડ કોલ થાય, એ જમાના પહેલાની વાત છે). જૂઈમંડપમાં પહેલી વાર હાથ પસવારવાની ઘટના યાદ કરી જૂઈનો સ્પર્શ અને ચુંબનનો કંપ લખવાની વિનવણી કરે છે…‘મારા લકવાગ્રસ્ત હાથનો શણગાર, ઠંડા પડતા જતા હાથોની ઉષ્મા તું’ એવું કહીને કવિ પત્રના અંતે લખે છે ‘ખરૂં કહું છું તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહીં ચાલે!’<br />
<br />
જી હા, રમેશ પારેખનો દેહ જળવાયો, પણ રમેશ તો કયાંક વ્હેલેરો ખોવાયો! એ શેતૂરના કોશેટાના ઉકળતા બાફમાંથી ગુજરાતી ભાષાને મળ્યું મુલાયમ કવિતાનું રેશમ! સ્વયં ર.પા. એ લખેલું:<br />
<br />
એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું<br />
<br />
હતો રમેશને મોટો પ્રસંગ જાણું છું.<br />
<br />
પણ કદાચ સ્વજનો સિવાય વાહવાહીની કદરદાની લૂંટાવતી જનતાને આ ‘મોટા’ પ્રસંગ કરતા બીજા ઘણા ‘ખોટા’ પ્રસંગમાં વઘુ રસ હતો. સમયનું હિમે જામ્યું. એમના મનની ડાળીએ કોઈ ‘રેશમી કૂંપળ રૂપ’ ઝૂલતું રહ્યું, બહારની ત્વચા પર ઉંમરની કરચલીઓનું જાળું વધતું ગયું.<br />
<br />
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?<br />
<br />
અમે પૂછયું : લે બોલ, હવે તું…<br />
<br />
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?<br />
<br />
જોવાની હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?<br />
<br />
ઊંચી ઘોડીને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?<br />
<br />
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય કે લૂ?<br />
<br />
અમે પૂછયું : લે બોલ, હવે તું…<br />
<br />
આ સંવેદનશીલ હૈયાના તખ્તા પર નિત્ય ભજવાતો અજંપાનો ખેલ છે. સારૂં છે, રમેશ પારેખે એને કાવ્યની કયારીમાં રોપીને મહેકાવ્યો… નહીં તો, આપણી છાતીમાં બાઝેલો આવો જ ગળગળાટો ઓળખવાના શબ્દો કયાંથી સાંપડત? સર્જક અને સર્જન વચ્ચે કેવી અદ્રશ્ય બ્લૂટૂથ કનેકિટવિટી અઘૂરા પ્રણયની છે?…<br />
<br />
તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો<br />
<br />
તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ?<br />
<br />
રમેશ પારેખથી, ફોર ધેટ મેટર કોઈ પણ ઉમદા સર્જકથી અળગા થઈ શકાતું નથી. ખરેખર, આ વાત કવિતાની નથી, પ્રેમની છે. એની તમામ તડપ, વિરહ, પીડા, વિષાદ પછી પણ ર.પા.એ જગતના તમામ દીવાનાઓનો ‘હાઝરનાઝર’ રાખીને લખ્યું છે :<br />
<br />
તું જો જીતે તો ભલે, તું જીતે<br />
<br />
હું તો હારી શકું છુ સાવ એ રીતે..<br />
<br />
તું જો જીતે તો ભલે, તું જીતે<br />
<br />
હું તો ચાહી શકું છું, તને એ રીતે!<br />
<br />
આપણા જીવતરના ગઢમાં રમેશ પારેખની વેદનાનો હોંકારો સંભલાય છે? રમેશ પારેખની કવિતા હોય કે હિમેશ રેશમિયાના ગીતો… પ્રેમની કથા અમર હોય કે ન હોય, વ્યથા અમર હોય છે!<br />
<br />
ફાસ્ટ ફોરવર્ડ<br />
<br />
આપણે મળ્યાં તો ખરાં પણ એમ-<br />
<br />
જેમ દરિયાની ધુમ્મરીમાં<br />
<br />
ડૂબતા માણસના હાથમાં<br />
<br />
કયાંકથી તરતું આવેલું<br />
<br />
‘વહાણ’ છાપ બાકસનું ખોખું આવી જાય<br />
<br />
ને એ…<br />
<br />
(રમેશ પારેખ)<br />
<br />
# ગુજરાતી ભાષાના મારા સૌથી પ્રિય કવિ રમેશ પારેખના નિધન પછી આવેલા જન્મદિને મારી કોલમમાં વર્ષો પહેલા લખેલો લેખ, ૨૭ નવેંબરના રોજ આવતા જન્મદિન નિમિત્તે , ફરી સ્મૃતિશેષ કવિને અંજલિ સાથે.. (all are by the great Column writer -Jay vasavada)hiren makwanahttp://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6434558159965547385.post-85368022714784428542011-11-27T09:04:00.000-08:002011-11-27T09:04:04.521-08:00રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)From https://www.facebook.com/shrirameshparekh/posts/292454014120211<br />
Date 27/11/2011, Time 10:33 From Shri Ramesh Parekh's Profile Facebook<br />
<br />
આજે આ મસ્ત જીવ શ્રી રમેશ પારેખજી નો જન્મદિવસ છે, જેને ગુજરાતી સાહિત્ય જગત ની એક અતિ સુંદર ઘટના કહી શકાય....એમના ચરણો ને વંદન અને જન્મદિન ની અઢળક શુભેચ્છાઓ.<br />
<br />
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !<br />
<br />
અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.<br />
<br />
સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.<br />
<br />
હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.<br />
<br />
હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.<br />
<br />
કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.<br />
નવલિકા: ‘સ્તનપૂર્વક’<br />
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’<br />
લેખો: ‘હોંકારો આપો તો કહું’.<br />
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.<br />
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.<br />
<br />
પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.<br />
<br />
શ્રી રમેશ પારેખજી ની એક મહાન રચના....<br />
<br />
<br />
સાંવરિયો રે મારો સાંવરિયો,<br />
હું તો ખોબો માંગુ ને દઇ દે દરિયો<br />
<br />
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં,<br />
એવી લથબથ ભીંજાઇ હું વ્હાલમાં<br />
મારા વાલમનું વ્હાલ મારું નાણૂં,<br />
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું<br />
જાણું રે એણે ખાલી ઘટામાં ટહુકો કર્યો<br />
<br />
આંખ ફડકી ઉજાગરાથી રાતી,<br />
ઝીણાં ધબકારે ફાટ ફારઅ છાતી,<br />
મારો સાવ ભોળો ને સાવ બાવરિયો<br />
<br />
કોઇ હીરા જુએને કોઇ મોતી<br />
મારી આંખો તે છેલજીને જોતી<br />
જોતી રે રંગ કેરસિયો રે રંગ કેસરિયો....hiren makwanahttp://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6434558159965547385.post-89315437694780218992010-04-01T11:33:00.000-07:002010-04-01T11:33:31.669-07:00ઝવેરચંદ મેઘાણી એટલે......ઝવેરચંદ મેઘાણી એટલે કવિ, પત્રકાર, નવલિક, સંશોધક, લોક-સાહિત્યકાર, અને આઝાદી ના લડવૈયા પણ,<br />
<br />
ગાંધીજી એ મેઘાણી ને "રાષ્ટ્રીય શાયર" નું બિરુદ આપેલુએમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ ને મહીડા. પરીતોસીહ્ક મળ્યો . એ મેઘાણી નો જન્મ ૨૮, ઔગસ્ત, ૧૮૮૬ માં ચોટીલા માં થયેલ.<br />
<br />
મેઘાણી એ ગુજરાત માં કવિતા, પત્રકારત્વ, વાર્તા, નવલકથા ક્ષેત્રે એક નવી ભાત પાડી.<br />
<br />
લોકો ની પાસે થી વાર્તા રૂપે, દંતકથા રૂપે પડેલા સાહિત્ય ને મેઘાણી એ સૌરાષ્ટ્ર ના ખૂણે ખૂણે થી ભાટ, ચારણ, બારોટ અને ઘરડા બુઢ્ઢા પાસે થી સાંભળી ને પોતાની આગવી શૈલી માં ઢાળી ને ગુજરાતી સાહિત્ય ને સમ્રુધ કર્યું. મેં ક્યાંક વાંચેલું કે એકવાર મેઘાણી ને કોઈકે કહ્યું કે કત્છ માં એક ડોસીમાં સૌરાષ્ટ્ર ની એક લોક વાર્તા જાણે છે અને ઝવેરચંદ મેઘાણી ધોધમાર વરસાદ માં એજ ઘડી કત્છ જવા નીકળી ગયેલા.<br />
<br />
મેઘાણી કાઠીયાવાડ ના ગામે ગામે, ચોકે ચોકે , પાદરે પાદરે જઈને અસલ કાઠીયાવાડ ને જગત સામે રજુ કર્યું, લોક સાહિત્ય માં સંપાદન અને સંસોધન ને એમને જગત સામે રજુ કર્યું.<br />
<br />
મફત રણેકરે sachhu જ કીધું છે કે એક સંસ્થા કરે એટલું કામ મેઘાણી એ એકલે હાથેકરેલું.<br />
અને ઈન્દુકુમાર જાની ના શબ્દો માં કહીએ તોએમણે કબરો ખોદી કાઢી ને મૈઅતો ને ઉઠાડીયા અને જીવાડ્યા એમને મસાણે મસાણ જગાડ્યા. કાળી રાતે મસાણ માં સાદ પાડ્યા. મુદડા ને હોકર દીધા. હઝારો પ્રેતો ને એમને કપડા પહેરાવ્યા. એ પ્રેત નથી , નીચા નથી, લુચ્ચા ને હરામખોર નથી એમ સાબિત કરી ને જગત ના ચોક માં ઉભા રાખ્યા. માણસો એ કબુલ કર્યું કે - હા એ સચ્ચા માણસ છે. ચીર નિંદ્રા માં પોઢેલા પાળિયાઓને જગાડી ને એમને બોલતા કાર્ય.<br />
<br />
મેઘાણી મૂળ બગસરા ગામ ના હતા. એમના પિતા કાલિદાસ અ પોલીસ હતા એમને પોસ્ટીંગ નાં કારણે જુદા જુદા ગામે ફરવું પડતું. મેઘાણી એ શિક્ષણ રાજકોટ માં લીધું. ૧૧૧૨- માં અમને મેત્રિક પાસ ર્યું. <br />
<br />
૧૧૧૬ માં ઈંગ્લીશ અને સસ્ક્રુંત માં સ્નાતક થયા.<br />
૧૯૧૭ માં જીવનલાલ લી. નામ ની એલ્લુમિનિઅમ ની .માં નોકરી એ લાગેલા.<br />
૧૯૨૧ માં નોકરી છોડી ને પાછા બગસરા આવી ગયા.<br />
૧૯૨૨ માં ૨૫ વર્ષ ની ઉમરે જેતપુર માં દમયંતીબેન સાથે લગ્ન કર્યા.<br />
મેઘાણી ને ગુજરાતી સાહિત્ય નો ચસકો તો નાનપણ થીજ હતો અને કલકત્તા ગયા ત્યાં બંગાળી સાહિત્ય ના પ્રેમ માં પડ્યા. અને એના જ ફળ સ્વરૂપે આપણને "કુરબાની ની કથા" મળી. એ પુસ્તક રવીન્દ્રનાથ ટાગોર ની કથા-ઉ-કહાની નો ગુજરાતી અનુવાદ હતો જે એમને ૧૯૨૨ કર્યો હતો. અને એજ એમની સૌપ્રથમ પુસ્તકહતા<br />
<br />
<br />
મેઘાણી એ સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, અને સૌરાષ્ટ્ર ની રસધાર લખી એમાં સૌરાષ્ટ્ર ની રસધાર ના ૫ ભાગ, સોરઠી બહારવટિયા ના ૩ ભાગ આવી ગયા. એ વાર્તા એમને કઈ એક જગ્યા એ થી નથી મળી ગયી, એક એક વાર્તા માટે એ કઈ કેટલાય વ્યક્તિ ને મળેલા. ક્યાંક અધુરી વાર્તા મળતી, ક્યાંક વાર્તા ની સરુયત મળતી, બીજે થી થોડીક વધરે વાત મળતી, વળી ત્રીજે થી વાત નો અંત મળતો. મેઘાણી એ કટકા ને ભેગા કરતા, સાંધતા, અને સચ્ચી રીતે ગોઠવાતા. અને પછી પોતાની આગવી શૈલી માં ઢળતા.<br />
<br />
મેઘાણી એ સૌરાષ્ટ્ર નામ ના એક સામયિક માં લખવા નું સારું કર્યું એ રાણપુર થી પ્રસિદ્ધ થતું હતું. , ૧૯૨૬ માં એમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ "વેણી ના ફૂલ" રજુ કર્યો. ૧૯૨૮ માં જ્હાવેરચંદ મેઘાણી ને રણજીત રામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ આપો ત્યારે એમની ઉમર ૩૧ વર્ષ ની હતી. એ સમયે અવાર્ડ ખરા અર્થ માં પ્રોત્શાહન માટે અપાતા હતા હવે તો કોઈ લેખક જીંદગી ને છેલ્લા સ્તાગે પહોચે ત્યારે સેક વિચારાય છે. ધણીવાર લેખક કએ કવિ ના કારણે અવાર્ડ ની કિંમત વધી જતી હોય એવું પણ લગએ છે.<br />
<br />
૧૯૩૦ માં મેઘાણી એ સિંધુડો લખ્યું એ યુવાનો ને આઝાદી માટે લડવા જોમ પુરતા કાવ્યો થી ભરેલું હતું. એના માટે એમને એજ વર્ષે ૨ વર્ષ જીલ ની સજા થય હતી.<br />
<br />
૧૯૩૩ માં એમના પત્ની ગુજરી ગયા, ૧૯૩૪ માં મેઘાણી મુંબઈ ગયા ત્યાં એમને છીત્રદેવી શાથે બીજા લગ્ન કર્યા. પછી જન્મભૂમી માં "કલમ અને કિતાબ " કોલમ લખવા નું શરુ કર્યું.<br />
<br />
૧૯૩૬ માં ફૂલછાબ ના તંત્રી બન્યા. ૧૯૪૬ માં એમના પુસ્તક માણસાઈ ના દીવા ને મહીડા પરીતોસિક મળ્યું. ને આજ વર્ષે એ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગ ના વાળા તરીકે ચુંટાયા.<br />
<br />
અને ૯ માર્ચ, ૧૯૪૭ માં આઝાદી જોયા વગર જ ૫૦ વર્ષ ની ઉમરે મેઘાણી એ આ દુનિયા ની વિદાય લીધી.hiren makwanahttp://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6434558159965547385.post-30852292544715907032010-03-27T22:02:00.000-07:002010-04-24T03:44:52.599-07:00થોડુક જય વસાવડા વિષે:જય વસાવડા રાજકોટ નજીક આવેલ ગોંડલ ના છે. તે J V ના નામ થી ઓળખાય છે પણ એમને કોણ નથી ઓળખાતું જે અમને નથી ઓળખતા તે કાલે ઓળખી જશે વિરલ પ્રતિભા બહાર આવ્યા વિના રહેતી નથી. એટલે જય વસાવડા ની હજુ આવી નથી એવું નથી કહેતો. પણ નજીક ના ભવિષ્ય માં ગુજરાત નો બચ્ચો-બચ્ચો એમને જાણતો, વાંચતો, વિચારતો થય જશે આવી આશા છે. પછી નક્કી ના કહેવાય આતો મહાજાતિ-ગુજરાત છે. જે ગુજરાતે ચંદ્રકાંત બક્ષી ને પુરેપુરા સમજવા નો પ્રયત્ન સુધ્ધા નથી કર્યો. એજ ગજા ના કટાર-લેખક જય વસાવડા છે. (આવું મારું વય્ક્તિગત ધોરણે માનવું છે, વાચક નો મત ભિન્ન હોય શકે છે.).<br />
<br />
એમને પોતાની પ્રતિભા ઘણા માધ્યમો થી રજુ કરી છે. જેમાં ગુજરાત સમાચાર, ગુજરાતી મીડ દય ઓફ મુંબઈ, અનોખી, આરપાર, અભિયાન, રંગત-સંગત, ગુજરાત સામાયિક, TOI (TIMES OF INDIA) વગેરે નો સમાવેશ થાય છે. જેમાં જય વસાવડા ની કલામે અવાજ ઉઠાવ્યો છે. એ ઊંડાણ થી વાંચે છે, વિષય ની વિચારે છે, શક્યા હોય એના થી પણ વધુ વિષય ને ફમ્ફોલે છે, ઉન્ધો ચતો કરી ને જોવે છે અને પચ્ચી જે સાચું લાગે એ કોઈ ના બાપ ની ચિંતા કાર્ય વગર લખે છે, એમાંના લખાણો ની વિશેષતા એ એમને આગવી લેખન-શૈલી, તેજ-ધાર, વિષયો ની પસંદગી, અને ઊંડાણ પૂર્વક નું પૃથકરણ છે.<br />
<br />
એમને વિજ્ઞાન ,રાજકારણ, કવિતા, તહેવારો જેવા કે ઉત્તરાયણ, હોળી, યુવાનો, બોલીવૂડ and હોલીવૂડ ની મુવી, ધર્મ, કળા, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, સાહિત્ય, માર્કેટિંગ, કોન્સુમર. માનવ સ્વભાવ, મુવી અને સેલીબ્રીટી ના ઊંડાણ પૂર્વક ના લેખો લખ્યાછે.<br />
<br />
એવું કહેવાય છે કે એમની laibrary ma ૧૦,૦૦૦ બુક્સ, ૧૨૦૦૦ મેગેઝીનેસ, ૬૦૦૦ CD , DVD, ૬૦૦૦ હોલીવૂડ, બોલીવૂડ ના ફિલ્મ છે.<br />
જય વસાવડા ની બુક્સ ના નામો:<br />
* Spectrometer(A series of 4 books, a compilation of these articles)(2001)<br />
* માહિત અને મનોરંજન<br />
* યુવા હવા<br />
* LIFE @ KITE<br />
* આહ હિન્દુસ્તાન ઓહ હિન્દુસ્તાન<br />
* સાહિત્ય અને સીનેમા<br />
* Anavrut(A series of 15 compilations)(on the stalls by the end of 2008)<br />
* પ્રીત કિયે સુખ હોયhiren makwanahttp://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.com1